Monday, 17 July 2023

મેલેરીયા

 મેલેરીયા શું છે?


મેલેરીયા એ મચ્છરથી ફેલાતો તાવ છે.જે પ્લાઝમોડિયા નામના પરોપજીવી જંતુથી થાય છે.

એનોફીલીસ મચ્છરની માંદા, મેલેરીયાના દર્દીને કરડીને ચેપી બને છે, જે તંદુરસ્ત વ્યક્તિને કરડેતો તે
વ્યક્તિને 10 થી 14 દિવસ પછી મેલેરીયા થાય છે.
મેલેરીયાના લક્ષણો
ટાઢ ચઢીને તાવ આવે.
માથુ દુ:ખે, શરીર દુ:ખે, કળતર થાય.
તાવ ઉતરે ત્યારે ખુબ પરસેવો વળે.
ઉલટી થાય કે ઉબકા આવે.
મેલેરીયાના ફેલાવા માટેના પરીબળો
મેલેરીયાના પરોપજીવી જંતુ.(પેરાસાઇટ)
રોગ ફેલાવવામાટે સક્ષમતા ધરાવતા મચ્છરો.(વાહક)
રોગલાગુ પાડી શકે તેવા વ્યક્તિઓ/સમુહ.
રોગ ફેલાવવા માટે અનુકુળ વાતાવરણ.
માણસમાંચાર પ્રકારના પ્લાઝમોડીયાથી મેલેરીયા ફેલાય છે.
પ્લાઝમોડિયમ – વાઇવેક્ષ
પ્લાઝમોડિયમ – ફાલ્સીપારમ
પ્લાઝમોડિયમ – ઓવેલ
પ્લાઝમોડિયમ – મેલેરી
ઇન્ક્યુબેસન પીરીયડ
મેલેરીયાના પરોપજીવી જંતું શરીરમાં પ્રવેશ્યા ત્યારથી રોગનાં લક્ષણો દેખાય ત્યાં સુધીનો સમય.
પ્લાઝમોડિયમ – વાઇવેક્ષ- 12 થી 17 દિવસ
પ્લાઝમોડિયમ – ફાલ્સીપારમ- 9 થી 14 દિવસ
પ્લાઝમોડિયમ – મેલેરી-  18 થી 40 દિવસ
પર્યાવરણીય પરીબળો
મેલેરીયાના ફેલાવામાટેની ઋતુ (ટ્રાંસમીશન સીઝન)-  જુન થી ઓકટોબર સુધી
હવામાનમાં થતા ફેરફાર મેલેરીયાના ફેલાવાને પણ અસર કરે છે.દા.ત. તાપમાન અને ભેજ 
પર્યાવરણીય પરીબળો
તાપમાન
વાતાવરણમાં તાપમાન મચ્છરમાં મેલેરીયા પરોપજીવી જંતુની વૃધ્ધિને અસર કરે છે.
20 થી 30 ડીગ્રી ઉતમ તાપમાન
16 ડીગ્રી થી નીચે અને 30 ડીગ્રી થી ઉપર પ્રતિકુળ તાપમાન
ભેજ
ભેજનું પ્રમાણ મચ્છરના આયુષ્યને અસર કરે છે.
60 થી 80 ટકા ભેજ ઉત્તમ ભેજ
ભેજનું પ્રમાણ ઓછુ -મચ્છરનું આયુષ્ય ઓછું
પર્યાવરણીય પરીબળો
વરસાદ
મચ્છરના પ્રજનન સ્થળો વધારવામાં મદદરૂપ
દરિયાની સપાટીથી ઉંચાઇ
2000થી2500 મીટર ઉંચાયવાળી જગ્યાઓમાં એનોફિલીસ મચ્છરો જોવા મળતા નથી. 
વિકાસલક્ષી પ્રવૃતિઓ
આ પ્રવૃતિઓ મચ્છર ઉત્પતિ સ્થાનો વધારવામાં કારણભુત
મેલેરિયા શાખા
મેલેરીયા શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ  અંતર્ગત મેલેરીયા, ડેંન્ગ્યુ, ચિકનગુનીયા
ફાઈલેરીયા રોગ નિયંત્રણ અટકાયતી પગલાઓ અને સારવાર અંગે નીચે મુજબની કામગીરી  કરવામાં
આવે છે.
તાવના કેસોની શોધ .
રોગ અટકાયતી સારવાર તેમજ પોઝીટીવ કેસોની સંપુર્ણ સારવાર .
મચ્છરના પોરાની શોધ અને પોરાનાશક કામગીરી જેવી કે, કેમીકલ લાર્વીસાઈડ,બળેલુ ઓઈલ તેમજ
માઈનોર એન્જીનીયરીંગ, ઉપરાંતકાયમી પાણી ભરાઈ રહેતા સ્થળોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં
આવે છે .
મચ્છર ઉત્પતી નિયંત્રીત કરવા જનસમુદાયની મચ્છરદાની દવાયુકત કરવાની કામગીરી તેમજ
સરકારશ્રીના નિયમાનુસાર અલગ તારવેલા ગામોમાં જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં
આવે છે
ફાઈલેરીયા રોગ નિર્મુલન કાર્યક્રમ અંતર્ર્ગત સામુહીક ધોરણે ડી .ઈ .સી ગોળી વર્ષમાં એકવાર
ગળાવવાની પ્રવળતી હાથ ધરવામાં આવે છે .
રોગચાળાની પરિસ્થિતિમાં વાહક મચ્છરોનો તાત્કાલીક નાશ કરવા રાસાયણીક ધુમાડો (ફોગીંગ )
કામગીરી હાથ ધરવામાં આવે છે .
ઉપરાંત નીચેની કક્ષાએથી તમામ કામગીરી ના રીપોર્ટ એકત્રીત કરવા તથા તેનુ રીવ્યુ કરી જરૂરી
માર્ગદર્શન આપવુ .તેમજ રાજયકક્ષા એ રીપોર્ટ સાદર કરવા તેમજ રાજયકક્ષાએથી આવેલ સુચના અને
માર્ગદર્શનની અમલવારી કરવી .
મલેરીયા અંગે જાગૃતિ
મેલેરીયા નાબુદીના હેતુઓ
મેલેરીયાનો ફેલાવો અટકાવો.
માનવ શરીરમાંથી પરોપજીવીઓનો નાશ કરવો.
મેલેરીયા ફરીથી ન થવા દેવો.
આ માટે ઘરની અંદર જયાં મચ્છર વિરામ કરે છે અને જે ગામો અલગ તારવવામાં આવેલ છે. તે ગામના
દરેક ધરના રૂમમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો. જેથી મચ્છરનો નાશ થઈ શકે. અને મેલેરીયાનો
ફેલાવો અટકાવી શકાય.
વર્કર ઘ્વારા ધરે ધરે ફરીને તાવના દર્દીને શોધી કાઢીને લોહીનો નમુનો મેળવી કલોરોકવીન ગોળીથી
પ્રાથમિક સારવાર આપવી.માઈક્રોસ્કોપ પરિક્ષણમાં મેલેરીયાના જંતુ જોવા મળે દર્દીને સંપુર્ણ સારવાર
આપવી.
મેલેરીયા નાબુદી કાર્યક્રમ ધણો સફળ સાબિત થયો કારણ કે ૧૯૬પ-૬૬માં મેલેરીયા રોગીની સંખ્યા
ધટીને માત્ર ૧.૦૦,૦૦૦ થઈ અને મેલેરીયાથી એક પણ દર્દીનું મુત્યુ થયુ ન હતું. ત્યાબાદ મેલેરીયા
કેસોની સંખ્યામાં સતત વધારો થતો રહેલ અને ૧૯૭૬માં ૬૪,૦૦,૦૦૦ સુધી પહોંચી ગયેલ રાષ્ટ્રીય
મેલેરીયા નાબુદી કાર્યક્રમ નિતિમાં ફેરફાર કરવાની ફરજ પડી અને તા. ૧/૪/૧૯૭૭ થી નવી નિતિને ‘‘
મોડીફાઈડ પ્લાન ઓફ ઓપરેશન‘‘ (MPO) નામ આપવામાં આવ્યું.MPO ના મુખ્ય હેતુ નીચે મુજબ.
દેશના જે વિસ્તારમાં દર વર્ષે, દર હજારની વસ્તીમાં બે કે તેથી વધુ મેલેરીયાના કેસ મળે ત્યાં દર વર્ષે
નિયમિત જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
મેલેરીયાના દર્દીને ત્વરીત ઓળખી કાઢી તાત્કાલીક સારવાર આપવા જિલ્લા કક્ષાની લેબોરેટરીનું
વિકેન્દ્રીકરણ કરી દરેક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી સેવાઓ શરૂ કરવામાં આવી.
મેલેરીયાના દર્દીને ન કેવળ મેલેરીયા કર્મચારીઓ પરંતુ દવાખાનાના,પ્રા.આ.કેન્દ્રો,સ્કુલ શિક્ષકો,ગ્રામ
સેવકો ઘ્વારા દવાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી.
તાવ સારવાર કેન્દ્રો/ઔષધ વિતરત કેન્દ્રો કરવા જયાંથી દર્દી સહેલાઈથી મેલેરીયાની દવા મેળવી શકે.
સ્વૈચ્છિક સંગઠનોના માઘ્યમથી લોકોનો સહકાર મેળવવો.અમલીકરણ સંશોધન અને તાલીમ શરૂ કરવા. 
ઉકત નવા પ્રયત્નોને કારણે ૧૯૮૪ સુધી મેલેરીયા રોગની સંખ્યા ધટાડીને ર૦,૦૦,૦૦૦ સુધી નીચે
લાવવામાં મહત્વપુર્ણ સફળતા મળી છતાં છેલ્લા ૧૦ વર્ષથી મેલેરીયા રોગીની સંખ્યા ર૦,૦૦,૦૦૦ની
આસપાસ સ્થિર થયેલ. ૧૯૯૪માં કેટલાંક રાજયોમાં મેલેરીયા રોગચાળો ફાટી નીકળ્યો તેમાં મેલેરીયાથી
મુત્યુનું પ્રમાણ ચાર ગણું વધી ગયું જેને લઈ ભારતના માન. વડાપ્રધાને મેલેરીયાની સમીક્ષા કરી
મેલેરીયા માટે તજજ્ઞોની સમિતિની નિમણુંક કરી અને નવી નિતિ ઘડી કાઢી. જે’‘મેલેરીયા એકશન
પ્લાન’‘(MAP)૧૯૯પ તરીકે ઓળખવામાં આવેછે.
વર્ષ ર૦૦૪ માં રાષ્ટ્રીય મેલેરીયા નાબુદી કાર્યક્રમનું નામ બદલ નેશનલ વેકટર બોર્ન ડીસીઝ કંટ્રોલ
પ્રોગ્રામ (N.V.B.D.C.P.)રાખવામાં આવેલ છે. મેલેરીયા એ એનોફિલિસ માદા ચેપી મચ્છરથી જ ફેલાતો
રોગ છે. મેલેરીયાના મચ્છર ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે. કોઈ પણ તાવ મેલેરીયા હોઈ શકે.
મેલેરીયા પ્લાઝમોડીયન પ્રકારના જંતુથી થતો રોગ છે.
ટેમીફોસ સોલ્યુશન તૈયાર કરવાની તથા વાપરવાની રીત : 
ડોલમાં ૧૦ લીટર પાણી લઈ તેમાં ૨.૫ એમ.એલ. ૫૦% ટેમીફોસ નાખવું. ( ટેમીફોસ સીરીંજ વડે માપીને
નાખવું) અને લાકડી વડે દ્રાવણને બરાબર હલાવવું.
આ મુજબ તૈયાર થયેલા દ્રાવણમાં ટેમીફોસનું પ્રમાણ ૦.૦૧૨૫% થાય છે. જેનો ઉપયોગ પીવાના પાણી
સિવાયનાં ધાર વપરાશ માટે ભરેલ પત્રમાં થઇ શકે છે.
આ દ્રાવણનો ઉપયોગ ૨૦ એમ.એલ./ પ્રતિ ચો.મીટર મુજબ કરવાનો રહેશે. પાણી ભરેલા પાત્રમાં ટેમીફોસ
નાખ્યા પછી પાણીને લાકડી વડે હલાવવું.  
તૈયાર કરેલ દ્રાવણ જે-તે દિવસે વાપરી નાખવું. વધેલા દ્રાવણનો બીજા દિવસે ઉપયોગ કરવો નહિ.
ટેમીફોસની કામગીરીદર અઠવાડીયે કરવો.
 


પોરાનાશક કામગીરી : ઇન્ટ્રા ડોમેસ્ટીક અને પેરા ડોમેસ્ટીક

                  ð  ટેમીફોસ ૫૦% ઈસી (એબેટ)

બનાવવાની રીત                              વાપરવાની રીત

   Ø  ૧ લીટર પાણીમા  -૦.૨૫ મીલી૧ ચોરસ મીટરમાં ૧ ફુટ ઉંડાઇ -૨૦

મીલી  (૪ ઢાંકણ)

  Ø  ૧૦ લીટર પાણીમા -૨.૫ મીલી  ૧ ચોરસ મીટરમાં ૩ ફુટ ઉંડાઇ -૬૦

મીલી  (૧૨ ઢાંકણ)

નોંધ:- પાત્રમા પાણીની ઊંડાઇને જોઇ તૈયાર કરેલ અબેટ નો વપરાશ કરવો.

   Ø  ૧ લીટર એબેટમાંથી અંદાજીત ૧૫ થી ૨૦ ઘરમાં નાખી શકાય છે.

   Ø  ૧ લીટર એબેટમાંથી અંદાજીત ૪૦ થી ૫૦ ખુલ્લા પાત્રોમા નાખી શકાય છે.

   Ø  એબેટ નાખ્યા પછી ૨૪ કલાક મા પોરા(લાર્વા) નો નાશ થાય છે.

   Ø  એબેટ નાખ્યા પછી લાકડી દ્વારા પાણી ને હલાવવુ જોઇએ.

 

                  ð  ડાઇફ્લુબેન્ઝયુરોન ૨૫% WP

બનાવવાની રીત                                                      વાપરવાની રીત

   Ø  ૧૦ લીટર પાણી(ચોખ્ખા પાણીમા ૧૦ગ્રામ –

ગંદા પાણીમા ૨૦ ગ્રામ )                ૧ ચોરસ મીટર એરીયામાં -૧૦ મીલી,          

   ૫૦ લીનીયન મીટરમાં ૫૦૦ મીલી,   

   ૧ હેકટર વિસ્તારમાં ૧૦૦ લીટર દ્રાવણ

   Ø  ડાઇફ્લુબેન્ઝયુરોન છંટકાવ માટે નેપસેક પંપનો ઉપયોગ કરવામાં આવે છે.

   Ø  ગંદા પાણીમાં છંટકાવ માટે ૧૦ લીટર પાણીમાં ૨૦ ગ્રામ નુ દ્રાવણ બનાવવુ,.

   Ø  ચોખ્ખા  પાણીમાં છંટકાવ માટે ૧૦ લીટર પાણીમાં ૧૦ ગ્રામ નુ દ્રાવણ બનાવવુ,.

 

                  ð  પોરાભક્ષક માછલી

   Ø  ૧ ચોરસ મીટર એરીયામાં ૫ થી ૭ નર માદા ગપ્પી/ ગમ્બુશીયા માછલીઓ મુકવી.

   Ø  પુખ્તવયની ૧ ગપ્પી /ગમ્બુશીયા માછલી ૧ દિવસમાં ૧૦૦ થી ૩૦૦ પોરા ખાઇ શકે છે.

 

                  ð  મચ્છરદાની દવાયુક્ત કરવા :ડેલ્ટામેથ્રીન ફ્લો ૨.૫ %

                  ð  ITN(INSECTICIDE TREATED BED NETS

       ð  સીંગલબેડ મચ્છરદાની માટે દવા બનાવવાની રીત :

   Ø  ૩૫૦ થી ૫૦૦ મીલી પાણીમાં -૧૦ મીલી ડેલ્ટામેથ્રીન ફ્લો

       ð  ડબલબેડ મચ્છરદાની માટે દવા બનાવવાની રીત :

   Ø  ૫૦૦ થી ૭૫૦ મીલી પાણીમાં ‌- ૧૫ મીલી ડેલ્ટામેથ્ર્રીન ફ્લો

       ð  નોંધ્‌ મચ્છરદાની ધોઇએ  નહી તો દવાની અસર ૬ (છ) માસ સુધી રહે છે.

 

ફોગીંગ (૨ % પાયરેથ્ર્મ )

   Ø  ૧૯ લીટર ડીઝલમા ૧ લીટર પાયરેથ્ર્મ મીક્ષ કરી દ્રાવણ તૈયાર કરવુ.

   Ø  ફોગીગ મશીન ઘરના દરવાજાના ઉમર પર અડકાવી રાખીને ધુમાડો છોડવો જેથી ધુમાડો નીચેથી ઉપરની તરફ જાય અને આખા ઘરમાં ધુમાડો ફેલાય.

   Ø  ધુમાડો કર્યા પહેલા ઘર ના તમામ દરવાજા બારી બારણા બંધ કરી ઘર ના મુખ્ય દરવાજો ખુલ્લો રાખી ધુમાડો કરવો ત્યાર બાદ ૪૫ મીનીટ સુધી ઘર ના તમામ દરવાજા અને બારી બારણાઓ બંધ કરવી,.

 

       ð  ઇન્ડોર રેસીડયુઅલ સ્પ્રે (IRS):-ઘર અંદર જંતુનાશક દવાનો છંટકાવનો કાર્યક્ર્મ

 

બનાવવાની રીત                                                      વાપરવાની રીત

   Ø  ૧૦ લીટર પાણીમા ૨૫૦ ગ્રામ                         ૧૫૦ ચી.મી. ના ઘર માટે ૭૫ ગ્રામ       

    .(આલ્ફા સાયપરમેથ્રીન ૫ %)        દવાની જરૂરીયાત ,૩ ઘરોમાં ૨૫૦

                                                                   ગ્રામ દવા વપરાય.

   Ø  પંપનો ડિસચાર્જ રેટ ૭૪૦ થી ૮૫૦ મી.લી. પ્રતિ મિનિટ હોવો જોઇએ.આ રેટ મેળવવા માટે પંપ ચલાવનારે પંપમેન ૧૦ રતલનાં દબાણ ૬૦ થી ૭૦ સાયકલ સ્ટ્રોક એક મિનિટમાં મારવા જોઇએ.

   Ø  પંપનો હાથાનો પ્લંજર રોડની ખેચ ૧.૫ ઇંચ હોવી જોઇએ. આ માટે ત્યાં લોખંડની ચેન બાંધવી જ્રરૂરી છે.

   Ø  દવા છંટકાવ વખતે લાન્સ દિવાલથી ૪૫ સે.મી (૧.૫ ફુટ) દુર રાખીને છંટકાવ દરમ્યાન ઉભા પટાની પહોળાઇ ૫૩ સે.મી(૧.૫ ફુટ) હોવી જોઇએ. પ્રથમ પટા બાદ બીજા પટાઓ એકબીજા પટાને ૭.૫ સે.મી (૩ ઇંચ) જેટલો ઓવર લેપ થવુ જોઇએ.

   Ø  એક પંપથી ૩૦ થી ૪૦ ઘર એક દિવસમાં છંટાવવા જોઇએ. ઘરમાં દવાની અસર અઢી માસ સુધી રહે છે.

                 Ø  HI,BI,CI  ની ગણતરી:-

 

   Ø  હાઉસ ઇનડેક્ષ(HI) :-એડીસ લાર્વા માટે પોઝીટીવ મળેલ ઘરની સંખ્યા  *  ૧૦૦

                                                 તપાસેલ કુલ ઘરની સંખ્યા  

   Ø  બ્રુટો ઇનડેક્ષ(BI) :-એડીસ લાર્વા માટે પોઝીટીવ મળેલ પાત્રોની  સંખ્યા  *  ૧૦૦

                                                 તપાસેલ કુલ ઘરની સંખ્યા  

   Ø  કન્ટેનર ઇનડેક્ષ (CI) :-એડીસ લાર્વા માટે પોઝીટીવ મળેલ પાત્રોની  સંખ્યા  *  ૧૦૦

                                                 તપાસેલ કુલ પાત્રોની સંખ્યા

એડીસ લાર્વા માટે ક્યારે સંવેદનશીલ બની શકે છે?

 

લાર્વલ સુચકાંક

ટ્રાંન્સમીશન માટે વધુ સંવેદનશીલ

ટ્રાંન્સમીશન માટે ઓછા  સંવેદનશીલ

હાઉસ ઇનડેક્ષ

>૧૦ %

<૧%

બ્રુટો ઇનડેક્ષ

>૫૦%

<૫%

કન્ટેનર ઇનડેક્ષ

>૨%

-

 

   Ø  ABER(ANNUAL BLOOD SLIDE EXAMINATION RATE): ફીવર સર્વેલન્સ કામગીરી ફિલ્ડમાં બરાબર ચાલે છે કે નહી તે જાણી શકાય.

ABER=પરીક્ષણ કરેલ લોહીના નમુનાની સંખ્યા * ૧૦૦

                                                 કુલ વસ્તી

વાર્ષિક એબર ૧૮ ટકા ,દરા મહીને ૧.૫ ટકા એબર મળે છે .દર મહીને ઓ.પી.ડી .ના ૧૫ ટકા એબર મળે છે.ABER  ઓછો  હોઇ તે ગામમાં માનવ શરીરમાં મેલેરિયા પેરેસાઇટનો ફેલાવો સતત વધવાથી મેલેરિયાનો આઉટબ્રેક થઇ શકે છે.

   Ø  API(ANNUAL PARASITE INCIDENCE):- ગામને હાઇરીસ્ક કે સ્પ્રેઇગમાં લેવુ કે નહિ તે નક્કી કરી શકાય.

 

API= જાહેર થયેલ પોઝીટીવ કેસની સંખ્યા *  ૧૦૦

                                                      કુલ વસ્તી

   Ø  SPR(SLIDE POSITIVE RATE):-આપના વિસ્તારમાં પેરાસાઈડ લોડ કેટલો છે તે જાણી મેલેરિયા કેસનો વધારો રોકી શકાય.

SPR= જાહેર થયેલ પોઝીટીવ કેસની સંખ્યા * ૧૦૦

                                            પરીક્ષણ કરેલ લોહીના નમુનાની સંખ્યા

   Ø  SFR(SLIDE FALCIPARUM RATE):- આપના વિસ્તારમાં પી.એફ. ના કેસો કેટલા છે તે જાણી મેલેરિયા મરણ રોકી શકાય.

SFR=   જાહેર થયેલ પી. ફાલ્સીપેરમની સંખ્યા * ૧૦૦

પરીક્ષણ કરેલ લોહીના નમુનાની સંખ્યા

   Ø  PF%= જાહેર થયેલ પી. ફાલ્સીપેરમની સંખ્યા * ૧૦૦

                           જાહેર થયેલ પોઝીટીવ કેસની સંખ્યા

 

Ø  LLIN(લોંગ લાસ્ટીંગ ઇન્સેકટીસીડલ બેડ નેટ)લાંબા ગાળાની અસરવાળી  મચ્છરદાની

 

   Ø  મેલેરિયા માટે જોખમી વિસ્તાર API  ૧ થી વધુ વાળા ગામોને  અગ્રિમતા ધોરણે ગણી તે ગામોમા ઘર દીઠ ૫ (પાંચ) વ્યકિત હોઇ તો તે ઘર મા ૨(બે)  મચ્છદાની આપી શકાય.

   Ø જે ગામોમાં ઘરમાં વસ્તા સભ્યો ની સંખ્યા વધુ હોય તેવા કિસ્સામા ગામના ઘરોનીસંખ્યાને બે ના સ્થાને ૨.૪ વડે ગુણીને પણ જ્રરુરી મચ્છરદાની ની સંખ્યા ગણી શકાય .

   Ø  LLINની ફાળવણી કરેલ ગામના વિસ્તારમા લોકો મચ્છરદાનીમા સુવે છે ,તે જાણવા જે ગામમા મચ્છરદાની વિતરણ કરેલ હોઇ તે ગામનો યુઝર રેટ ૮૫ % થી વધુ હોવો જરૂરી છે.

   Ø  સગર્ભા માતાને જો LLINમચ્છરદાની વિતરણ કરેલ હોઇ તો  તે યુઝર રેટ ૧૦૦ % હોવો જરૂરી છે.

 




No comments:

Post a Comment